Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ના એક પ્રગતિશીલ ખેડૂત જુના કાંસીયા ગામની સીમમાં પોતાના ખેતર માં સફેદ જાંબુ ના ઝાડ વાવ્યા

અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામના પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઈ વસાવા એ પોતાની વાડીમાં એ પોતાની સફેદ જાંબુ અગાઉ રોપ્યા વાવ્યા હતા. આજે છોડ વૃક્ષમાં પરિણમતા એક જ ઝાડ પર સફેદ જાંબુ ના ફળ લાગ્યા છે.ખેડૂત વિનોદ ભાઈ વસાવા એ જણાવ્યું હતું કે ગુજરાતમાં આ ફળ ને સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે. આ સફેદ જાંબુ ના વૃક્ષ કાળા જાંબુ જેવા જ હોવાના કારણે આને સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે. આ ફળ પાકે ત્યારે મીઠા અને થોડા ખાટ્ટા લાગે છે અને મધુર એનો સ્વાદ હોય છે. અમુક જગ્યાએ આ ફળ લાલ રંગના પણ જોવા મળે છે. હાઈબ્રીડ કલમ કરી ને અલગ અલગ જાત બનાવવામાં આવે છે. સફેદ જાંબુ માં શિયાળા ની ઋતુ દરમિયાન ફૂલ આવવાનું ચાલુ થઈ જાય છે અને ઉનાળો ચાલુ થાય ત્યારે ફળ પરિપક્વ થઈ જતા હોય છે. કોયલ,પોપટ,કાગડો ખૂબ આના ફળ ખાય છે. સફેદ જાંબુ ની અંદર થી ૨ કે ૩ જેટલા બીજ હોય છે, જોકે તેમાં ઠળિયા હોતા નથી.અંદર જ રૂ જેવા પડ આજુબાજુ બનેલા હોય છે. વૃક્ષ ઉપર ખૂબ જ પુષ્કળ પ્રમાણ માં ફળ લાગે છે તેમજ તેના પાન બારે માસ લીલા જ રહે છે.

  • સફેદ જાંબુ ને ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે માનવામાં આવે છે

સફેદ જાંબુ ને ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે માનવામાં આવે છે.આ ફળ નો કોઈ પણ રીતે ઉપયોગ કરી શકાય છે. ડાયાબિટીસવાળા માટે ખુબ જ ફાયદાકારક છે. આમાં આયર્ન, ફોલિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, અને સોડિયમ જેવા તત્વો રહેલા હોવાથી તે શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.

  • મબલક પાક મળતા ખેડૂતોને પણ આર્થિક રીતે સહાયરૂપ બન્યા

અંકલેશ્વર ના શાકમાર્કેટ માં સફેદ જાંબુ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, સ્વાદ શોખીનો માટે આ ફળ નવીનતાની સાથે નવી તાજગીનો સંચાર કરી રહ્યા છે, જાણવા મળ્યા મુજબ હાલમાં બજારમાં સફેદ જાંબુ 80 થી 100 રૂપિયા એક કિલોના ભાવે વેચાય રહ્યા છે, અને તેનો મબલક પાક મળતા ખેડૂતોને પણ આર્થિક રીતે સહાયરૂપ બન્યા છે.

error: Content is protected !!
Scroll to Top