- અંકલેશ્વરમાં વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ
- મહિલાઓએ પોતાંના પતિના દીર્ઘાયુ માટે પૂંજા કરી
- જેઠ માસની પૂનમને વડસાવિત્રી વ્રત તરીકે ઉજવવામાં આવે છે
- વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીટાળી મંગલકામના કરી
- વ્રતની પૂજા બાદ દિવસ દરમિયાન કેટલાક બહેનો નકોરડા ઉપવાસ કરશે
જેઠ માસની પૂનમને વડસાવિત્રી વ્રત તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દિર્ઘાયુષ્ય માટે વડસાવિત્રીનું વ્રત કરી ઉપવાસ કરે છે. જેમાં અંકલેશ્વરમાં આજે વહેલી સવારથી જ્યા વડનું વૃક્ષ હોય ત્યાં મહિલાઓ પૂજા કરતી જોવા મળી છે.

અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્યવિસ્તારમાં સૌભાગ્યવતી બહેનો સોળે શણગાર સજીને શિવ મંદિરો તેમજ વડલાના ઝાડે જઈ શાસ્ત્રોકત વિધિ સાથે વ્રતની પૂજા કરી હતી. જેમાં વ્રતધારી બહેનો અબીલ-ગલાલ, કંકુ-ચોખા અને ફૂલો અને જળ ચઢાવી વડનું પૂજન કરી બાદમાં વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીટાળી પ્રદક્ષિણા કરી પતિના દિર્ઘાયુષ્યની મંગલકામના કરવામાં આવી હતી. વ્રતની પૂજા બાદ દિવસ દરમિયાન કેટલાક બહેનો નકોરડા ઉપવાસ કરશે તો કેટલાક બહેનો દ્વારા ફરાળ કરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી સાવિત્રી-સત્યવાન સાથે જોડાયેલા વડસાવિત્રી વ્રતનો મહિમા ગવાતો આવ્યો છે. યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લાવી સાવિત્રી આદર્શ નારીત્વ અને પતિવ્રતા ધર્મનું પ્રતિક બની ગયા હતા. તેથી જ દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે અખંડ સૌભાગ્યવતી બહેનો દ્વારા પોતાના જીવનસાથીના લાંબા અને સ્વસ્થ્ય આયુષ્ય માટે વડસાવિત્રી વ્રતને કરવામાં આવે છે.