
અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્થિતી ઘણી ભયંકર સર્જાઈ છે. જેમા રાજુલાના હડમતીયા અને દેવકાની વચ્ચે આવેલી જોલાપુરી નદીમાં પૂરની સ્થિતી જોવા મળી હતી. જેમા પાણીના ભયંકર પ્રવાહમાં અહિંયા 25 જેટલા ઘેટાઓ તણાઈ ગયા છે. જોકે ઘેટાઈ તણાઈ જવાને કારણે સ્થાનિકો દ્વારા તાત્કાલીક ઘેટાઓને બચાવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નદીમાં ભારે પ્રવહા હોવાને કારણે 15 જેટલા ઘેટા તણાઈ ગયા છે. જ્યારે 10 ઘેટાને બચાવી લેવામાં આવ્યા હતા.
માલધારી પરિવારના ઘેટા પુરમાં તણાઈ જવાને કારણે તેમને ભારે નુકશાન થયું છે. ભારે વરસાદને કારણે હાલ જોલાપુરી નદીમાં નવા નીરની આવક ભરપૂર પ્રમાણમાં થઈ છે. જેના પરિણામે નદીમાં પૂર જેવી સ્થિતી સર્જાઈ છે. પાણીના ધસમતા પ્રવાહમાં જ 25 ઘેટાઓ તણાઈ ગયા હતા. જોરકે સ્થાનિકો દ્વારા પછી 10 ઘેટાને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે 25માંથી 15 ઘેટા તણાઈ ગયા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેમા અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. શહેરના મણિનગર, ઘોડાસર, ઈસનપુર, નિકોલ, નરોડા અને બાપુનગર અને પ્રહલાદ નગર વિસ્તારમાં બપોરે વરસાદ પડ્યો હતો. સાથેજ શહેરમાં હજુ પણઇ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.