લાખો નો ખર્ચ કર્યા બાદ પણ મુખ્ય બજારમાં એક ફૂટ પાણી નો ભરાવો થયો છે.
આજુબાજુ મેદાન માં વરસાદી પાણી તળાવ સર્જાયા હતો.
પંચાયત માં વારંવાર રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે.
અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામ ના પર પ્રાંતીય મીરા નગર વિસ્તારમાં પંચાયત દ્વારા લાખો રૂપિયા ના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન પાણી નિકાલ માટે નાખવામાં આવી છે. જો કે લાખો નો ખર્ચ કરવા છતાં આજે રહીશો પાણી મા જ રહેવા મજબુર બન્યા છે. ખાસ કરી મીરા નગર સૌથી વ્યસ્ત બજાર અને વિસ્તાર છે. જ્યાં રોડ પર જ એક ફૂટ જેટલા પાણી ભરાવો થયો છે. તો અંતરિયાળ ભાગ માં ખુલ્લા મેદાન પાણી ના તળાવ બની ગયા છે. આજ વોર્ડ માં હાલ ચૂંટણી પણ યોજાઈ રહી છે. આ વચ્ચે પંચાયત દ્વારા લોકો ની સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યું છે. લોકો ગંદા પાણી માં પસાર થવા સાથે સૌથી વધુ સમસ્યા વેપારી વર્ગ ને નડી રહી છે. પંચાયત ની ઉદાસીન નીતિ ને લઇ વ્યાપરી વર્ગ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ સ્ટેટ હાઇવે ના નવીનીકરણ વચ્ચે આ ચોકડી પર સતત ધમધમતો જોવા મળે છે. ત્યારે ગંદકી અને વરસાદી પાણીનો ભરાવો લોકો માટે ભારે માથાનો દુખાવો બનાવ સાથે આગામી દિવસો માં પાણી જન્ય રોગ ફેલાવા ની દહેશત ઉભી થઇ છે.