
અંકલેશ્વર જીઆઇડીસી રહેણાંક વિસ્તાર માં આવેલ ગણેશ સ્કવેર ખાતે ‘જય અંબે કલેક્શન’ નામની આ દુકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કારણે ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી ના ચાર ફાયર ફાઈટર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આગને વધુ ફેલાતો અટકાવી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ દુકાનનો સંપૂર્ણ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

