Vaat Ankleshwarni

તાજા સમાચાર

રાષ્ટ્રીય એકતા અને સૈનિકોની સાહસના જીત વધાવી લેતા અંકલેશ્વર ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી

અંકલેશ્વર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાની શરૂઆત શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે થી કાઢવામાં આવી હતી. જે જવાહર બાગ સ્થિત સ્ટેચ્યુ પાર્ક સુધી દેશભક્તિના ઊર્જા ભર્યા માહોલમાં પસાર થઈ હતી. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યાત્રા ની આગેવાની ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કરી હતી. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી સભ્ય નિલેશ પટેલ સહીત પાલિકા અને તાલુકા પંચાયત ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, નોટીફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ સહીત ભાજપના  હોદ્દેદારો જોડાયા હતા  તિરંગા યાત્રામાં સનાતન ધર્મના ગુરુજનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ પણ જોડાઈ રાષ્ટ્રપ્રેમના સંદેશ આપ્યો હતો. સમગ્ર યાત્રા દરમિયાન “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નાદે વાતાવરણ ગૂંજ્યું થયું હતું.આ તિરંગા યાત્રા દ્વારા દેશના સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી અને ભવિષ્યની પેઢી માટે રાષ્ટ્રીય એકતા અને દેશસેવાનું પ્રેરણાસ્ત્રોત બનવા જેવી હતી.

error: Content is protected !!
Scroll to Top