Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર શહેરમાં વયસ્ક નાગરિકો માટે એક માર્ગદર્શક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જે.એન.પી.ટી. લાઇબ્રેરી ખાતે આ સેમિનાર યોજાયો હતો.

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા જે.એન.પી.ટી.ટી લાઈબ્રેરી ખાતે યોજાયેલા સેમિનારમાં સિનિયર સિટીઝનોને વિવિધ હેલ્પલાઇન નંબર વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારના હેલ્પલાઇન નંબર 112, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1093, સાયબર ક્રાઇમ માં ખસ કરી ડિજિટલ એરેસ્ટ મામલે અને મહિલા સહાયતા અંગેની વિસ્તૃત માહિતીનો સમાવેશ થાય છે.આ પ્રસંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ. પી.જી. ચાવડા સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વયસ્ક નાગરિકોને “પોલીસ હંમેશા પ્રજાની સાથે છે” તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

error: Content is protected !!
Scroll to Top